Breaking : ધો.10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાને લઈ CM રૂપાણીએ કરી મોટી જાહેરાત

Breaking : ધો.10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાને લઈ CM રૂપાણીએ કરી મોટી જાહેરાત

મોર્નિંગ ન્યુઝ ફોકસ ગાંધીનગર :  કોરોના ની મહામારી વચ્ચે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા લેવાશે કે નહીં તેને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક તર્ક-વિતર્કોચાલી રહ્યા હતા. ત્યારે આજે બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાને લઇને મુખ્યમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સામે જણાવ્યું હતું કે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા નિર્ધારિત સમયે લેવામાં આવશે જ. માટે વિદ્યાર્થીઓ માનસિક રીતે સંપૂર્ણ તૈયાર રહે. જો કે બીજી બાજુ બોર્ડની પરીક્ષા પાછી ઠેલવા માટે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ અનેક રજૂઆતો વચ્ચે મુખ્યમંત્રીએ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દેતાં જણાવ્યું છે કે બોર્ડની પરીક્ષા નિર્ધારિત સમયે જ લેવાશે અને તેના ટાઈમ ટેબલ મુજબ બોર્ડની પરીક્ષા લેવામાં આવશે માટે વિદ્યાર્થીઓ પરીક્ષા ની પૂર્ણ તૈયારી રાખે.