વધતા પ્રદૂષણની ફેફસાં પર થઈ શકે છે નકારાત્મક અસર

વધતા પ્રદૂષણની ફેફસાં પર થઈ શકે છે નકારાત્મક અસર

Mnf net work: પ્રદૂષિત હવાની સૌથી મોટી આડ અસર ફેફસાં પર થાય છે. સૂક્ષ્‍મ કણો શ્વસન માર્ગમાં પ્રવેશવાથી અસ્થમા, બ્રોન્કાઇટિસ અને ક્રોનિક શ્વસન સમસ્યાઓ થઈ શકે છે :

ફેફસાં પર વાયુ પ્રદૂષણની અસર :-વાયુ પ્રદૂષણ આપણા ફેફસાં પર નકારાત્મક અસર કરી શકે છે. પાર્ટિક્યુલેટ મેટર, ઓઝોન, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુ પ્રદૂષકો ફેફસાં માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે.

 લીલા પાંદડાવાળા શાકભાજી :- લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ફેફસાંને સ્વસ્થ રાખવા ઉપરાંતતેની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે. શરીર માટે જરૂરી પોષક તત્વો પાંદડાવાળા શાકભાજી દ્વારા સરળતાથી મળી શકે છે. તે વિટામિન C અને E જેવા એન્ટીઑકિસડન્ટથી સમૃદ્ધ છે

એન્ટી-ઈન્ફલેમેન્ટરી વસ્તુઓ ખાઓ :-ફેફસાંને સ્વસ્થ રાખવા અને ઈન્ફલેમેશનને કારણે થતી સમસ્યાઓથી બચાવવા માટેએન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિમાઇક્રોબાયલ ગુણોથી ભરપૂર વસ્તુઓને આહારમાં સામેલ કરો. લસણ સંક્રમણ અને બળતરાના જોખમને ઘટાડીને ફેફસાના સ્વાસ્થ્યમાં મદદરૂપ છે. હળદરમાં એક્ટિવ કર્ક્યુમિન હોય છે જે બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે.

મોસમી ફળોનું સેવન કરો :-બ્લુબેરી અને સ્ટ્રોબેરી જેવા લાલ અને બ્લુ ફળો એન્થોસાયનિન નામના ફ્લેવોનોઈડ્સથી સમૃદ્ધ હોય છે, જે અસરકારક એન્ટીઑકિસડન્ટ છે. સફરજન અને નારંગી જેવા મોસમી ફળોનું સેવન ફેફસાં માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.