સુરત : પતંગોત્સવમાં જોવા મળી રહી છે રામ લલ્લાના અભિષેક સમારોહની ઝાંખી

સુરત : પતંગોત્સવમાં જોવા મળી રહી છે રામ લલ્લાના અભિષેક સમારોહની ઝાંખી

Mnf network:  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામ લલ્લાના અભિષેક સમારોહને અલૌકિક, અભૂતપૂર્વ અને અવિસ્મરણીય બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરાવી છે. આ ઐતિહાસિક અવસરની ઝાંખી સુરતના પતંગોત્સવમાં પણ જોવા મળી રહી છે.

ભગવાન રામના અભિષેક સમારોહ અંગેની માહિતી આપતી પતંગ લોકો વધુ પસંદ કરી રહ્યા છે.

જેમાં ભગવાન રામ ધનુષ લઈને ઊભા છે અને રામ મંદિરની તસવીર પણ પતંગમાં જોવા મળે છે. 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક થવાનો છેજેને લઈ દેશભરમાં જેને લઇ ઉત્સાહ છે. પતંગ ઉત્સવમાં પણ આ પર્વની ઝલક જોવા મળશે.