ભાજપનાં આ મહિલા નેતાએ જન્મ દિવસ નિમિત્તે કરી મહત્વની જાહેરાત, જાણીને તમે પણ કરશો પ્રસંશા

ભાજપનાં આ મહિલા નેતાએ જન્મ દિવસ નિમિત્તે કરી મહત્વની જાહેરાત, જાણીને તમે પણ કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :  સામાન્ય રીતે ભાજપના નેતાઓ દ્વારા જન્મદિવસની ઉજવણી એવી રીતે કરવામાં આવતી હોય છે કે જેથી આ દિવસે કોઈ ના કોઈ સર્જનાત્મક, રચનાત્મક તેમજ સમાજ ઉપયોગી કાર્યો થાય. ભાજપના મોટા ભાગના નેતાઓ તેમની ઉજવણી કોઈના કોઈ સારો સંદેશો સમાજમાં જાય તે રીતે કરતા હોય છે. ત્યારે તાજેતરમાં ભાજપના સુરતના મહિલા નેતા કોમલબેન બચકાનીવાલા એ તેમની જન્મ દિવસની ઉજવણી એક અનોખા અંદાજમાં કરી છે. 

6 એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપનો દિવસ. ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ એ કોમલબેન બચકાનીવાલા માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે આ જ દિવસ સુરતના ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા કોમલબેન બચકાનીવાલા નો જન્મદિવસ છે. ત્યારે કોમલબેન બચકાનીવાલા એ પોતાના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે નેત્રદાન નો યજ્ઞ શરૂ કર્યો છે. કોમલબેને પોતે તેમના જન્મદિવસ નિમિત્તે નેત્રદાન કરવાની મહત્ત્વની જાહેરાત કરી છે. તેમના આ નેત્રદાન યજ્ઞમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો જોડાયા છે અને અનેક લોકોએ નેત્રદાન કરવાનો સંકલ્પ લીધો છે. એટલું જ નહીં પરંતુ કોમલ બેને તેમના જન્મદિવસ નિમિત્તે થેલેસેમિયા થી પીડાતા બાળકો માટે રક્તદાન નો પણ એક કાર્યક્રમ યોજ્યો છે. આમ પોતાના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે જ નહીં પરંતુ પોતાના જન્મદિવસે વધુમાં વધુ સમાજ ઉપયોગી રચનાત્મક સેવાકાર્યો થાય તેઓ તેમણે સંકલ્પ કર્યો છે. અત્રે નોંધનીય છે કે કોમલ બેન બચકાનીવાલા અનેક સેવાકિય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.એટલું જ નહીં મહિલા મોરચાના મીડિયા સેલના ઇન્ચાર્જ તરીકે તેઓ સેવા આપી રહ્યાં છે.