ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાશે કે નહીં ? જાણો Exclusive માહિતી

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાશે કે નહીં ? જાણો Exclusive માહિતી

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો તેના એકાદ કલાક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી.બી.એસ.ઇ બોર્ડની ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કરતા ગુજરાત સરકાર એકવાર ફરીથી અસમંજસની સ્થિતિમાં મૂકાઈ છે. ત્યારે ગુજરાત સરકારે પણ તાત્કાલિક બેઠક બોલાવીને આ બાબતે શું કરવું તે અંગે વિચારણા કરી હતી. આ વિચારણાના અંતે રાજ્ય સરકારે પરીક્ષા લેવી કે નહીં તે બાબતે બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં સત્તાવાર નિર્ણય જાહેર કરશે તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

જો કે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10 માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું પરંતુ આ વિદ્યાર્થીઓને માર્કશીટ કેવી રીતે આપવી તેને લઈને સરકાર મૂંઝવણમાં છે.હાલ ગુજરાતમાં પણ ધો.12 સાયન્સ-સામાન્ય પ્રવાહના 6.92 લાખ વિદ્યાર્થીની પરીક્ષા લેવાશે નહીં. સરકાર તો ધો.10ના 3.80 લાખ રિપીટર્સ વિદ્યાર્થીને પાસ કરવા માગે છે, પણ પાસ કરવા કઇ રીતે? તે પ્રશ્ન સરકારને મૂંઝવે છે. જો ધોરણ 12માં ની પરીક્ષા રદ કરવામાં આવે તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ મેળવવા માટે જી અને નેટ પર આધારિત રહેવું પડે.

ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની તા.1 જુલાઈ થી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં અને પરીક્ષા કેન્દ્રો છે તેવી સ્કૂલોમાં પરીક્ષાની તૈયારી હાથ ધરાઇ હતી, પરીક્ષા કેન્દ્રો પણ નક્કી કરવાનું ચાલુ કરાયું હતું. આવા સંજોગોમાં જ કેન્દ્ર સરકારે CBSEના ધો.12ની પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કરતા રાજ્ય સરકાર પણ ગુજરાતમાં ધો.12ની પરીક્ષા લેશે નહીં તેવું વિશ્વસનીય સૂત્રોનું કહેવું છે.