કાનપુર થી અમદાવાદ આવી રહેલી બસને નડ્યો અકસ્માત : 17 મુસાફરોના કરુણ મોત

કાનપુર થી અમદાવાદ આવી રહેલી બસને નડ્યો અકસ્માત : 17 મુસાફરોના કરુણ મોત

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ઉત્તરપ્રદેશના કાનપુર થી અમદાવાદ આવી રહેલી એક મિનિ બસને ગમખ્વાર અકસ્માત નડ્યો છે.જેમાં આશરે ૧૭ કરતાં વધારે લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.સચેંડીમાં બસ અને લોડર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી ત્યારબાદ બસ પલટી ગઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ઉત્તર પ્રદેશના કાનપુરમાં મંગળવારે મોટો અકસ્માત થયો હતો. અહીં લોડરને ટક્કર મારતાં એક પૂરઝડપે બસ પુલ પરથી નીચે પડી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત નીપજ્યાં છે. તમામ ઇજાગ્રસ્તોને હેલેટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માતની જાણકારી મળતાની સાથે જ સીએમઓ ખુદ હેલેટમાં સારવારની વ્યવસ્થા કરવા પહોંચી ગયા છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માત કાનપુરના સાચેંડીમાં થયો હતો. તે જ સમયે, સ્થાનિક ધારાસભ્ય અભિજિત સાંગા ઘટના સ્થળે પહોંચ્યા અને માહિતી આપી કે, મૃતકોમાં મોટી સંખ્યામાં કલ્યાણપુર બ્લોકના ઈશ્વરીગંજ અને લાલપુર ગામના રહેવાસી છે. અકસ્માત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ સાથે તેમણે વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી સહાય આપવાની પણ જાહેરાત કરી.