ડભોઇ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નયનભાઈ શાસ્ત્રીજીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન સમારોહ યોજાયો

ડભોઇ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નયનભાઈ શાસ્ત્રીજીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન સમારોહ યોજાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,વડોદરા (સિકંદર પઠાણ) : ચાંદોદ-નવા માંડવા સ્થિત પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પૂજ્ય નયનભાઈ શાસ્ત્રીજી દ્વારા નવા વર્ષના પ્રારંભે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ પદે રાજપીપળા ના માનવેન્દ્રસિંહ ગોહિલ સહિત યુએસએ થી પધારેલા હેરાલ્ડ ડિસોઝા, વિરાજ રાજકુમારી, આઈનોક્સના સીઈઓ દિપક આચાર્ય, હરિદય રાવલ અને આમંત્રિતો-નગરજનો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જોવા નીચેની લીંક પર ક્લિક કરો

https://www.facebook.com/1659802264233919/posts/pfbid0Y9NjAxBLUvPF7hMvphMkfURFd2HNkkDpHqsHjhP3LqWEm6pCxojeGK2NzDLkGtGHl/

નર્મદાષ્ટક ના ગાન અને દીપ પ્રાગટ્ય દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમના પ્રારંભ બાદ ઉપસ્થિતોનું પુષ્પગુચ્છ થી સ્વાગત અભિવાદન કરાયું હતું યુએસએથી પધારેલા હેરાલ્ડ ડીસોઝા એ  વડોદરા થી વ્હાઇટ હાઉસ સુધીની પોતાની સફર દરમિયાન ના  અનુભવો વ્યક્ત કરી યુએસએ મા હ્યુમન ટ્રાફિક નો ભોગ બનતા ગુજરાતીઓને તેઓ કેવી રીતે મદદરૂપ થઈ રહ્યા છે તેની માહિતી વિસ્તાર સહ જણાવી હતી ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવો એ પણ પોતાની સંસ્થા થકી તેમજ અંગત રીતે સમાજ અને જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થઈ જે માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો.