300 કરોડના કૌભાંડના AAP ના આક્ષેપ સામે ભાજપ શાસકો ચૂપ ! સુરતના પડઘા ગાંધીનગર સુધી પડશે તો પાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે સત્તા સ્વપ્ન બની જશે

300 કરોડના કૌભાંડના AAP ના આક્ષેપ સામે ભાજપ શાસકો ચૂપ ! સુરતના પડઘા ગાંધીનગર સુધી પડશે તો પાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે સત્તા સ્વપ્ન બની જશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :   ગાંધીનગર પાલિકાની ચૂંટણીના પડઘમ હવે વાગી ચૂક્યા છે ભાજપ દ્વારા તેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે. જોકે ગાંધી નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રિકોણીયો જંગ જામશે. જેમાં ભાજપને પાલિકામાં સત્તા મળશે કે કેમ તેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

જો કે કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં દિલ્હી માં ભાજપનું શાસન નથી તે જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર હોવા છતાં ગાંધીનગરમાં ભાજપનું શાસન આવશે કે કેમ એને લઈને ઘણી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. કારણ કે ગાંધીનગરમાં મોટાભાગે શિક્ષિત વર્ગ રહે છે. જે નેતાઓની લોભામણી જાહેરાતોથી લલચાય એમ નથી. બીજી બાજુ સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોએ જે ખુમારી બતાવી છે અને ભાજપને બેકફૂટ પર લાવી દીધી છે તે જોતા એવું લાગે છે કે ગાંધીનગર ના લોકો આમ આદમી પાર્ટીને પણ એક તક આપી શકે છે.

બીજી બાજુ સુરત મહાનગરપાલિકાના ગઇકાલના ઓનલાઇન બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના 27 નગર સેવકો દ્વારા ભાજપ શાસિત પાલિકાના ૩૦૦ કરોડના કૌભાંડ ના આક્ષેપ થયા તે જોતા એવું લાગે છે કે સુરતના પડઘા ગાંધીનગરમાં પણ પડી શકે છે. જોકે સુરતમાં 27 નગરસેવકોએ કરેલી ધારદાર રજૂઆતો ને લઈને ભાજપના શાસકોએ ન ઇચ્છવા છતાં પણ લોકોને મિલકતવેરામાં રાહત આપવી પડી. ટૂંકમાં ભાજપ બેકફૂટ પર આવી ગયું ત્યારે આમ આદમી પાર્ટી ના નગરસેવકોની કામગીરી ઉપસીને સપાટી પર આવી છે અને લોકોને આકર્ષી રહી છે ત્યારે ગાંધીનગર ની ચૂંટણીમાં હવે કોણ બાજી મારશે તે જોવું રહ્યું !

AAP નેતા ગોપાલ ઇટાલિયા એ શું કર્યા આક્ષેપ?

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સુરત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો સાથે બેહૂદું વર્તન કરવામાં આવ્યું હતું તેને લઈને સોશિયલ મીડિયામાં આકરા પ્રહારો કર્યા હતા.ઈટાલિયાએ લખ્યું કે ' સુરત મહાનગરપાલિકામાં આજે બજેટ સભામાં ભાજપનો 300 કરોડનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને સી.આર.પાટીલના ઈશારે આવી રીતે ટીંગાટોળી કરીને, ઢસડીને, બહેનો મારીને બહાર કાઢવામાં આવ્યા.' જોકે, આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના રાજકીય આક્ષેપો અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ રાજકીય આક્ષેપોને બાદ કરતા પોલીસે મહિલાઓ સાથે જે વર્તન કર્યુ તે સુરત શહેરની ગરીમાને છાજે તેવું નહોતું. નગરસેવિકાઓને પોલીસે ચારેકોરથી ઘેરી લીધી હોવાનો આ  વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.

વિડીયો જોવા લિંક પર ક્લિક કરો.