Breaking : ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોનાથી નિધન : 22 એપ્રિલે કોરોના પોઝીટીવ આવ્યા હતા

Breaking : ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોનાથી નિધન : 22 એપ્રિલે કોરોના પોઝીટીવ આવ્યા હતા

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું 46 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાત કોંગ્રેસને મોટી ખોટ પડી છે. તેમણે તાજેતરમાં જ કોરોનાના માત આપી હતી. પરંતુ તેના બાદ તેમની તબિયત લથડી હતી. તેઓ ગઈકાલથી વેન્ટીલેટર પર હતા. આખરે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું કોવિડ-19 ના કારણે નિધન થયું છે. રાજીવ સાતવને 22 એપ્રિલે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તેઓની સારવાર પુણેની જહાંગીર હૉસ્પિટલમાં ચાલી રહી હતી જ્યાં તેઓ વેન્ટિલેટર પર હતા.