ગુજરાત ભાજપમાં આંતરિક કલહ : વધુ એક નેતાએ ધરી દીધું રાજીનામું !

ગુજરાત ભાજપમાં આંતરિક કલહ : વધુ એક નેતાએ ધરી દીધું રાજીનામું !

મો.ન્યુ.ફો.નેટવર્ક : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક બેઠકો મેળવનાર અને છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરનાર ભાજપમાં અત્યારે આતંરિક ડખો વધી ગયો છે. હજુ થોડા સમય પગેલા પ્રદિપ સિંહ વાઘેલા અને ભાર્ગભ ભટ્ટ જેવા દિગ્ગજ નેતાઓના રાજીનામા પછી હવે મહેસાણાના નેતા પંકજ ચૌધરીએ રાજીનામું આપી દીધું છે.

મળતી માહિતી મુજબ પંકજ ચૌધરીનું રાજીનામું હજુ સ્વીકારવામાં આવ્યું નથી. જો કે બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચૌધરી પાસે રાજીનામું માંગી લેવામાં આવ્યું છે.પંકજ ચૌધરી પ્રદેશ સંગઠનમાં મહામંત્રી અને સાથે યુવા મોર્ચાના પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા હતા. જો કે પંકજ ચૌધરીનું કહેવું છે કે તેમણે તો દોઢેક મહિના પહેલાં જ પારિવારિક કારણોસર રાજીનામું આપી દીધું છે.

સવાલ એ છે  કે ભાજપમાં એવું તે શું થયું છે કે ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. હજુ થોડા સમય પહેલા ભાજપમાં પત્રિકા કાંડ ગાજયું હતું અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે ગંભીર આરોપો કરતી પત્રિકાઓ ફરતી થઇ હતી. પત્રિકા કાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે કેટલાંક લોકોની ધરપકડ પણ કરી છે અને ભાજપના મોટા ચહેરાઓ પણ ખુલ્લાં પડી ગયા હતા, 

એ પછી જામનગરામાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક ટપાટપીનો ઇશ્યૂ ઉભો થયો. જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે બીજા દિવસે આ મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો.

ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા સી આર પાટીલના નજીકના નેતા ગણાતા હતા, પરંતુ પ્રત્રિકા કાંડમાં તેમનો ભોગ લેવાઇ ગયો હતો. એ પછી વડોદરના ભાર્ગવ ભટ્ટે પણ રાજીનામું આપ્યું હતું.આનો મતલબ એ થાય છે કે ભાજપમાં હજુ બધુ સમુસુતરું નથી