જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયો નો ગુંજકાર

જન્માષ્ટમી : નંદ ઘેર આનંદ ભયો નો ગુંજકાર

અમદાવાદ: દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ઉત્સાહભેર ઉજવણી જોવા મળી રહી છે. તો બીજી તરફ જન્માષ્ટમીના પર્વે  રાત્રે 12 વાગ્યે ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં પણ કાન્હાના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં કૃષ્ણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. રાત્રિના બાર વાગતા જ કૃષ્ણ મંદિરો નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.

ઈસ્કોન મંદિરમાં ગોકુલની થીમ આધારે ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મની ઉજવણી કરવા મંદિરોમાં ભક્તોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો .ઇસ્કોન મંદિરમાં પ્રથમ વખત ભગવાનને મેક્સિકન,ચાઈનીઝ અને થાઈ ફૂડનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો હચો.