PM મોદીના વતન વડનગરવાસીઓ કોનાથી છે પરેશાન ? નગર સેવક ગિરીશ પટેલે શુ ઉચ્ચારી ચીમકી ?

PM મોદીના વતન વડનગરવાસીઓ કોનાથી છે પરેશાન ? નગર સેવક ગિરીશ પટેલે શુ ઉચ્ચારી ચીમકી ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, વડનગર :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં કોરોના ના નામે નાના-મોટા વેપારીઓને અને આમ જનતાને દંડવામાં આવી રહ્યા છે ત્યારે હવે આ ત્રસ્ત થયેલા વેપારીઓએ વડનગર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા ગિરીશ પટેલને રજૂઆત કરી હતી.

ગિરીશ પટેલે જણાવ્યું હતું કે હાલમાં કોરોના નામે વડનગર નાના મોટા વેપારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં માસ્ક પહેરેલો હોવા છતાં કોઈને કોઈ રીતે એક હજાર રૂપિયા જેટલો દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. માત્ર વેપારીઓ જ નહિ પરંતુ આમ જનતાને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે હવે લોકો ત્રસ્ત બની ગયા છે. જો આમ ચાલ્યા જ કરશે તો રોજગારી મેળવતા લોકોને પોતાની રોજગારી મેળવવાના ફાંફા પડશે અને એક સમય એવો આવશે ત્યારે લોકોને જીવન ટૂંકાવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા વડનગરની જનતાને તેમજ વડનગરના નાના મોટા વેપારીઓને પરેશાન કરવામાં ન આવે તે માટે આવતીકાલે સોમવારે વેપારીઓ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે.

છતાં પણ જો તંત્ર આંખ આડા કાન કરશે તો ન છૂટકે વડનગરના વેપારીઓ અને સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.ગિરીશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં કોરોના નામ સ્કૂલો, મોલ, નાની-મોટી દુકાનો, નાના-મોટા ધંધા બધું જ બંધ કરાવવામાં આવે છે, જ્યારે ચૂંટણીમાં રેલીઓ યોજવામાં આવે છે. સવાલ એ થાય છે કે શું ભાજપને કોરોના સાથે ભાઈબંધી છે કે કેમ ? શું રેલીઓમાં સંક્રમણ નહીં ફેલાતું હોય ? માત્રને માત્ર નાના મોટા વેપારીઓ અને સામાન્ય જનતાને જ શા માટે ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે ?