ઊંઝા : ભાજપ શાસિત ન.પા.ના શાસકો 'તબેલા માંથી ઘોડા છૂટયા બાદ તાળા મારવા નીકળ્યા' : લોકોમાં આક્રોશ

ઊંઝા : ભાજપ શાસિત  ન.પા.ના શાસકો 'તબેલા માંથી ઘોડા છૂટયા બાદ તાળા મારવા નીકળ્યા' : લોકોમાં આક્રોશ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા નગરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરો નો ત્રાસ વધી રહ્યો છે ત્યારે તાજેતરમાં રખડતા ઢોરોને કારણે એક  આધેડે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકાના સત્તાધીશોને અનેક વાર રખડતા ઢોર બાબતે સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.છતાં પણ સત્તાધીશોના પેટનું પાણીયે હાલ્યું ન હતું.

ત્યારે તાજેતરમાં એક આધેડે પોતાનો જીવ ગુમાવ્યા બાદ હવે કુંભકર્ણ નિંદ્રામાંથી સત્તાધીશો જાગ્યા છે અને આજે માત્ર નામ પૂરતી ઢોર પકડવાની કામગીરી કરીને સંતોષ માન્યો હતો માત્ર દેખાવ પૂરતી કામગીરી બતાવવા માટે ઊંઝા નગરપાલિકાા દ્વારા આજે આંગળીના વેઢે ગણી શકાય એટલા ઢોર પકડી જાણે મોટો જંગ જીત્યો હોય એવો ડોળ કર્યો હતો.

જો કે તબેલા માંથી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા ગયેલ ભાજપના શાસકો સામે નગરજનોમાં ભારે આક્રોશની લાગણી છે.કારણ કે શાસકોના અણઘડ વહીવટને કારણે નિર્દોષ લોકોએ મોતનો શિકાર બનવું પડે એ કેટલું યોગ્ય ગણાય ! ભાજપને જ મત આપનાર ભાજપના શાસકોના અણઘડ વહીવટ ને કારણે પરેશાની અનુભવી રહ્યા હોવાનો લોકમત પ્રવર્તી રહ્યો છે.