આ દુનિયામાં ધર્મ કરતાં પણ મહાન શુ છે ?

મહાભારતમાં યુધિષ્ઠિર અને યક્ષ વચ્ચેનો સંવાદ

આ દુનિયામાં ધર્મ કરતાં પણ મહાન શુ છે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  યક્ષ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ધર્મરાજ યુધિષ્ઠિરજી એ જે જવાબો આપ્યા હતા તે જીવનમાં જાણવા અને ઉતારવા જેવા છે.તો ચાલો સાંભળીએ આ યક્ષ-યુધિષ્ઠિર નો સંવાદ.

સ.)  પૃથ્વી થી મોટુ શું છે ?
જ.)  માતા. 
 સ.)  આકાશ થી ઊંચું શું છે ?
જ.)  પિતા. 
સ.)  વાયુ થી ઝડપી શું છે ?
જ.)  મન. 
સ.)  ઘાસ કરતાં પણ જલદી શું વધે ?
જ.)  ચિંતા. 
સ.)  આ દૂનિયા માં ધર્મ કરતા પણ શું મહાન છેં ?
જ.)  દયા અને વિવેક. 
સ.)  કોની સાથે મિત્રતા નો અંત નથી હોતો?
જ.)  સજ્જન સાથેની. 
સ.)  ક્યારેય પણ દુઃખી ન થવા પાછળ નું રહસ્ય શું છે ?
જ.)  જે કોઇ પોતાના મન ને કાબુમાં રાખી શકે તો તે કયારેય દુઃખી ન થાય.
સ.)  સૌથી મોટું ધન શું છે ?
જ.)  શિક્ષણ. 
સ.)  સૌથી મોટો નફો ક્યો છે ?
જ.)  તંદુરસ્તી. 
સ.)  સૌથી મોટું સુખ કયું છે ?
જ.)  સંતોષ. 
સ.)  માણસ નો સૌથી મોટો દુશ્મન કોણ છે ?
જ.)  ક્રોધ.  
સ.)  કયા રોગ નો ઉપાય નથી ?
જ.)  લોભ. 
        છેલ્લો સવાલ,
સ.)  જિંદગી ની સૌથી મોટી વિચિત્રતા શું છે?
જ.)  અનંત સમય સુધી જીવવાની ઇચ્છા. રોજેરોજ આપણે કેટલાય લોકોને મરતા જોઇએ છીએ. છતા આપણે એવું વિચારી એ છીએ કે આપણે મૃત્યુ નહીં પામીએ.