એક એવું મંદિર જ્યાં પ્રેમી યુગલો નો દર બુધવારે મેળો ભરાય છે : મનોકામનાઓ થાય છે પૂર્ણ

એક એવું મંદિર જ્યાં પ્રેમી યુગલો નો દર બુધવારે મેળો ભરાય છે : મનોકામનાઓ થાય છે પૂર્ણ

રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલ ગણપતિ ભગવાનના મંદિરમાં દર બુધવારે પ્રેમીઓનો મેળો ભરાય છે. અહીં પ્રેમી યુગલ પોતાના મનપસંદ જીવનસાથીને પ્રાપ્ત કરવાની માનતા રાખવા પહોંચે છે. અહીં શ્રદ્ધાથી ગણપતિજીને લગ્નનું આમંત્રણ આપવાથી પ્રેમી યુગલોની લવ મેરેજની ઈચ્છા પુરી થાય છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મંદિરે દર્શન કરવા આવનાર ભક્તમાં મોટાભાગે પ્રેમી પ્રેમિકા હોય છે. આ જ કારણ છે કે આ ગણેશ મંદિરનું નામ ઇશ્કિયા ગણેશ મંદિર પડી ગયું છે. મંદિર વિશે કહેવાય છે કે અહીં આવનાર પ્રેમીની મનોકામના ગણપતિ ભગવાન પૂરી કરે છે. આજ સુધી અહીં આવનાર કોઈપણ ભક્ત નિરાશ થયા નથી ખાસ કરીને પ્રેમીઓની લવમેરેજની કામના પણ ઈશ્કિયા ગણેશ મંદિરમાં પૂરી થઈ જાય છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મંદિરનું નામ પહેલા ગુરુ ગણપતિ હતું. પરંતુ આ મંદિરમાં લોકોની નજરથી છુપાઈને પ્રેમી પ્રેમીકા મળવા આવતા હતા. તેઓ ભગવાન ગણેશને મનપસંદ પ્રેમીને જીવનસાથી તરીકે પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરતા હતા. ધીરે ધીરે અનેક યુગલોની આ મનોકામના પૂર્ણ થવા લાગી અને ગુરુ ગણપતિ પણ ઈશ્કિયા ગણપતિ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા.આ મંદિર દર્શન માટે સવારે 5:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. જોકે બુધવારે આ મંદિર રાત્રે 11:00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. મોર્નિંગ ન્યુઝ ફોકસ તેની પુષ્ટિ કરતું નથી.)