Breaking : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન

Breaking : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતના  પૂર્વ સીએમ માધવસિંહ સોલંકીનું દુખદ નિધન થયું છે. માધવસિંહ સોલંકીનું 94 વર્ષે તેમના નિવાસ સ્થાને નિધન થયું છે.

માધવસિંહ સોલંકી કૉંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદ સંભાળેલું. તેઓ "ખામ થિયરી" માટે જાણીતા થયા, જે વડે તેઓ 1980માં ગુજરાતમાં સત્તામાં આવેલા.