પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી દિલ્હીમાં પોતાના ઘરે દિવાળી મનાવશે

પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી દિલ્હીમાં પોતાના ઘરે દિવાળી મનાવશે

Mnf network :  અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ બાદ પીએમ મોદી આજે દિવાળી મનાવળે. દિલ્હીના લોક કલ્યાણ માર્ગ પર આવેલા પોતાના નિવાસ સ્થાન પર પીએમ મોદી આજે દીવડા પ્રગટાવી દિવાળી મનાવશે. પીએમ પોતાના ઘર પર દીપોત્સવ મનાવશે. પીએમ પહેલા જ જાહેર સભા દરમ્યાન દેશના લોકોને પોતાના ઘર પર 22 જાન્યુઆરીએ દિવડા પ્રગટાવવાનું કહી ચુક્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને એક નવા યુગના આગમનનું પ્રતીક ગણાવ્યું અને લોકોને આગામી 1000 વર્ષોના મજબૂત, ભવ્ય અને દિવ્ય ભારતનો પાયો બનવાનું આહ્વાન કર્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ બાદ સિયાવર રામચંદ્ર કી જય અને જય શ્રી રામના નારા સાથે પીએમ મોદીએ લોકોને સંબોધન કરતા કહ્યું કે, આ અવસર ફક્ત જીતનો નહીં પણ વિનમ્રતાનો છે.

પ્રધાનમંત્રીએ સંતો, નેતાઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મી સ્ટાર્સ, કવિઓ, સાહિત્યકારો અને ખેલાડીઓની એક સભાને સંબોધન કરતા કહ્યું કે, આપણે આજથી, આ પવિત્ર સમયથી આગામી 1000 વર્ષના ભારતનો પાયો નાખવાનો છે.