રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલાયું : હવે 'નિરંજન શાહ સ્ટેડિયમ' તરીકે ઓળખાશે

રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલાયું : હવે 'નિરંજન શાહ સ્ટેડિયમ' તરીકે ઓળખાશે

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : રાજકોટમાં ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA)ની AGMની બેઠક થઈ હતી જેમાં કમીટીના હોદ્દેદારો અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શહેરના જામનગર રોડ પર સ્થિત ખંઢેરી સ્ટેડિયમના નામને બદલાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ સ્ટેડિયમ ‘નિરંજન શાહ’ સ્ટેડિયમ તરીકે ઓળખાશે. 

રાજકોટમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ લાવવાનો શ્રેય પણ નિરંજન શાહને જાય છે. રેસકોર્ષથી માંડી ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ સુધીની સફરના તેઓ ભાગીદારી રહ્યા હતા. નિરંજન શાહે પાંચ દાયકા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી તરીકે સેવા આપી છે. તો રાજકોટના ગૌરવની જેમ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડીયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી તરીકે બે વખત કામ કર્યુ છે.