દેશ રામમયઃ ચોકલેટમાંથી તૈયાર થયું રામમંદિર

દેશ રામમયઃ ચોકલેટમાંથી તૈયાર થયું રામમંદિર

Mnf network:  આ રામ મંદિર ચોકલેટનું છે. અમદાવાદ અયોધ્યામાં શ્રીરામ મંદિર તૈયાર થઈ રહ્યું છે. દેશની નજર રામ અને અયોધ્યા તરફ છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં દરેક શ્રદ્ધાળુ પોતાની ભાવભક્તિ અને કૃતિભક્તિ અર્પણ કરી રહ્યા છે.

અમદાવાદનાં શિલ્પા આશુતોષ ભટ્ટ ચોકલેટ બનાવવામાં નિષ્ણાત છે. દરેક ધાર્મિક પ્રસંગે કે ઉત્સવોમાં શિલ્પાબહેન કંઈક નવા જ પ્રકારની ચોકલેટ તૈયાર કરે છે. આ વખતે તમામ સનાતન ધર્મ પ્રેમી અને શ્રદ્ધાળુઓ માટે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ મોટો ઉત્સવ છે ત્યારે શિલ્પાબહેને ચોકલેટમાંથી રામ મંદિર તૈયાર કર્યુ છે. શિલ્પાબહેન ચિત્રલેખા.કોમને કહે છે શ્રીરામ મંદિર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ સકારાત્મક પ્રયત્ન કરી રહ્યા છે.

મેં મારી ચોકલેટ બનાવવાની કલાનો ઉપયોગ કરી ચોકલેટનું મંદિર તૈયાર કર્યુ છે. આ ચોકલેટ મંદિરની લંબાઈ ત્રણ ફૂટ અને ઊંચાઈ દોઢ ફૂટ છે. આ મંદિર બનાવવા માટે ડાર્ક ચોકલેટ અને ગોલ્ડન એડિબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટનું શ્રીરામ મંદિર પરિસર અયોધ્યાની જેમ જ તૈયાર કરવા પ્રયત્ન કર્યો છે.