ગુજરાતનો પહેલો કિસ્સો : કોરોનાની રસીના બંને ડોઝ લીધા બાદ પણ સ્વાસ્થ્યકર્મીને થયો કોરોના, ડોકટરે કર્યો મહત્વનો ખુલાસો

ગુજરાતનો પહેલો કિસ્સો : કોરોનાની રસીના બંને ડોઝ લીધા બાદ પણ સ્વાસ્થ્યકર્મીને થયો કોરોના, ડોકટરે કર્યો મહત્વનો ખુલાસો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ગાંધીનગર :  હાલમાં કોરોના વાયરસનું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત માંથી એક વિચિત્ર કિસ્સો બહાર આવતા ચકચાર મચી છે જેમાં તો કોરોના વાયરસનો બીજો ડોઝ લીધા બાદ પણ એક વ્યક્તિને ફરી કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાની ઘટના બહાર આવી છે.જો કે આ માહિતી ખુદ ગાંધીનગરના સીએમઓ ડૉક્ટર એમએચ સોલંકીએ આપી છે.

ડૉક્ટર સોલંકીના જણાવ્યા મુજબ, ગાંધીનગર જીલ્લાના દેહગામ તાલુકાના રહેવાસી સ્વાસ્થ્યકર્મીએ કોરોનાની રસીનો પહેલો ડૉઝ 16 જાન્યુઆરીએ લીધો હતો અને બીજો 15 ફેબ્રુઆરીએ. ત્યાર બાદ તેને તાવ આવી ગયો હતો. ઉપરાંત આ દર્દીને કોરોનાના લક્ષણો પણ હતા જેની તપાસ કરતા તે સંક્રમિત હોવાનો ખુલાસો થયો હતો. સ્વાસ્થ્યકર્મીને કોરોનાના લક્ષણો સાવ નજીવા હોવાના કારણે તેને ઘરમાં જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. જો કે રસી લીધા બાદ પણ સંક્રમણ કેમ ફેલાયુ તે બાબતે ડોક્ટર સોલંકીએ કહ્યું હતું કે, કોરોનાની વેક્સીનના બંને ડૉઝ લીધા બાદ શરીરમાં એંટીબોડી વિકસીત થવામાં સામાન્ય રીતે 45 દિવસનો સમય લાગે છે.