News Impact : મોર્નિંગ ન્યુઝ ફોકસ ના અહેવાલથી તંત્ર સફાળું જાગ્યું : તાત્કાલિક રોડ રિપેર કર્યો

News Impact : મોર્નિંગ ન્યુઝ ફોકસ ના અહેવાલથી તંત્ર સફાળું જાગ્યું : તાત્કાલિક રોડ રિપેર કર્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ગઈકાલે ઊંઝા વિસનગર રોડ ઉપર યાત્રાધામ ઐઠોર પાસેના બિસ્માર રસ્તાને લઈને મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા એક અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો હતો. જેને લઇને આ વિસ્તારના ધારાસભ્ય અને તંત્ર સફળ જાગ્યું છે અને આજે તાત્કાલિક એ રસ્તાનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ગઈ કાલે પ્રગટ કરાયેલ અહેવાલ

માત્ર ઊંઝા કે ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત એવા ધાર્મિક આસ્થાના પ્રતીકસમા વિઘ્નહર્તા ગણેશજીના યાત્રાધામ ઐઠોર પાસે મેઈન રસ્તાની હાલત ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે. ઊંઝા વિસનગર ને જોડતા હાઇવે પર આવેલ ઐઠોર ગામ એ ગણપતિ દાદા નું ખૂબ જ પુરાણું યાત્રાધામ છે.

અહીં અનેક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ઐઠોર ઊંઝા રોડ પર કેવલેશ્વરથી શિવરામકાકાના બોર વચ્ચેની જગ્યાના રોડ પરની હાલત ખૂબજ દયનીય છે. તંત્ર કદાચ મોટો અકસ્માત થવાની રાહ જોઈને બેઠું હોય તેવું અહીંથી પસાર થતાં ચાલકો માની રહ્યા છે.