માસુમ વિદ્યાલય દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

માસુમ વિદ્યાલય દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

Mnf network:  માસુમ વિદ્યાલય દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટીવેશનલ સ્પીકર રાહુલ ભુવા દ્વારા બોર્ડની પરીક્ષામાં સફળતા કેવી રીતે મેળવવી તે માટેનો એક સેમીનાર અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ પેડક રોડ માં યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ 10ના 350 વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા. હતા. જેમાં વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં સફળતા કેમ મેળવી તેનું માર્ગદર્શન મેળવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સુપરવાઈઝર રાજેશભાઈ રાવલ તથા લલીતભાઈ અકબરી તેમજ શિક્ષક ગણ અને બિન શૈક્ષણિક ગણ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.