સુરત : ઉમિયાધામ માં 25 હજાર દીવડાઓ ની ભવ્ય મહાઆરતી, જુઓ વિડિયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : આજે આઠમના દિવસે સુરતના વરાછા ખાતે આવેલા ઉમિયાધામમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને એમાં જગત અંબાની આરાધના કરી હતી.

મહા આરતી મા આશરે 25000 જેટલા દીવડાઓ દ્વારા માં જગદંબાની આરતી કરવામાં આવી હતી. સમગ્ર દ્રશ્ય એવું લાગતું હતું જાણે કે આકાશમાંથી ટમટમતા તારલાઓ ધરતી પર ઉતરી આવ્યા હોય. આ મહા આરતી મા અનેક સામાજિક ધાર્મિક અને રાજકીય સંસ્થાના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.