ઊંઝા : બાબા સાહેબ આંબેડકર ના નિર્વાણ દિને પુષ્પાંજલિ કાર્યક્રમમાં ધારાસભ્યની ગેર હાજરી ! અનેક તર્ક વિતર્કો

ઊંઝા : બાબા સાહેબ આંબેડકર ના નિર્વાણ દિને પુષ્પાંજલિ કાર્યક્રમમાં ધારાસભ્યની ગેર હાજરી ! અનેક તર્ક વિતર્કો

બાબાસાહેબ આંબેડકર ના પુષ્પાંજલિ કાર્યક્રમમાં ધારાસભ્ય રહ્યા ગેરહાજર

એપીએમસી ના વાઇસ ચેરમેન પણ રહ્યા ગેરહાજર

એપીએમસી ના વાઈસ ચેરમેનને ધારાસભ્યના ખૂબ જ નજીકના માનવામાં આવે છે

ધારાસભ્ય અવારનવાર સરકારી કાર્યક્રમોમાં પણ રહે છે ગેરહાજર

ધારાસભ્યની ગેરહાજરીને લઈને નગરમાં તરેહ તરેહની ચર્ચાઓ 

ભાજપના કહેવાતા અન્ય કેટલાક નેતાઓ પણ રહ્યા હતા ગેરહાજર

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા) : આજે ડો. બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે ઊંઝા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના  નેતાઓ અને કાર્યકરો એ ઉપસ્થિત રહી બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારે આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય ગેરહાજર રહેતા સમગ્ર કિસ્સો ' ટોક ઓફ ધ ટાઉન ' બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના નિર્વાણ દિને તેમને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નરેશભાઈ પરમાર, એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ, હરિભાઈ પટેલ, તેમજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા ભાવેશ પટેલ સહિતના રાજકીય દિગજજો હાજર રહ્યા હતા. પરંતુ આ પ્રસંગે ધારાસભ્ય ગેરહાજર રહેતા તરેહ તરેહ ની ચર્ચાઓ શરૂ થઈ હતી. અત્રે નોંધનીય છે કે એપીએમસીના વાઇસ ચેરમેન પણ આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા જેમને ધારાસભ્યના ખૂબ જ નજીકના માનવામાં આવે છે.