ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરો માટે PM મોદીએ પ્રાર્થના કરી

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરો માટે PM મોદીએ પ્રાર્થના કરી

Mnf network : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં કોટી દીપોત્સવમમાં ભાગ લીધો હતો.  શુભ અવસર પર તમારી સમક્ષ હાજર રહેવું અને કોટી દીપોત્સવમનો ભાગ બનવું એ મારા માટે એક મહાન સૌભાગ્યની વાત છે.કોટી દીપોત્સવમ પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક જયંતિ નિમિત્તે હૈદરાબાદના અમીરપેટમાં ગુરુદ્વારાની મુલાકાત પણ લીધી હતી.

પીએમ મોદીએ ભારતની સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “જ્યારે આપણે કોઈપણ તહેવાર પર સ્વદેશી વસ્તુ ખરીદીએ છીએ, ત્યારે અમે ઘણા પરિવારોના ઘરોમાં સમૃદ્ધિનો દીવો પ્રગટાવવામાં મદદ કરીએ છીએ.”વડાપ્રધાને ઉત્તરાખંડની સુરંગમાં છેલ્લા બે સપ્તાહથી ફસાયેલા મજૂરો અંગે પણ નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું, “આજે જ્યારે આપણે દેવી-દેવતાઓની પ્રાર્થના કરી રહ્યા છીએ અને માનવતાના કલ્યાણની વાત કરી રહ્યા છીએ, ત્યારે આપણે તે મજૂર ભાઈઓને પણ આપણી પ્રાર્થનામાં સ્થાન આપવું પડશે જેઓ ઉત્તરાખંડમાં છેલ્લા બે અઠવાડિયાથી ટનલમાં ફસાયેલા છે.તેઓ સહી સલામત બહાર આવે તેવી પ્રાર્થના પીએમએ કરી હતી.

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના બાદ ચાલી રહેલા બચાવ અભિયાનમાં અવરોધોને કારણે આઠ રાજ્યોના 41 મજૂરો ટનલની અંદર ફસાયેલા છે.સરકાર આર્મી, એનડીઆરએફ અને વિવિધ એજન્સીઓના સહયોગથી રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.