PM મોદીના વતન વડનગરમાં અમૃત કળશ યાત્રાનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કરાયુ

PM મોદીના વતન વડનગરમાં અમૃત કળશ યાત્રાનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કરાયુ

‘‘ મારી માટી મારો દેશ ’’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન ઐતિહાસિક નગરી વડનગર ખાતે અમૃત કળશયાત્રા નીકળી હતી. વડનગર ખાતે નીકળેલી અમૃત કળશયાત્રાનું પ્રતિનિધિત્વ બક્ષીપંચ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં  અમૃત કળશયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ કળશયાત્રા વડાપ્રધાન મોદીના માદરે વતન ખાતે દરેક વિસ્તારમાં બે દિવસ સુધી ફરશે. વડનગર ખાતે આ કળશયાત્રા સોમનાથ મહાદેવ મંદિર વોર્ડ નં. 1થી શુભારંભ સાંજે 6 કલાકે કરવામાં આવ્યોં હતો. 

આ પ્રસંગે ભાજપ શહેર સંગઠનના હોદ્દેદારો, તમામ કોર્પોરેટર, રાષ્ટ્રપ્રેમી ભાઇઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.