ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષના હોદ્દાને લઈ સી.આર. પાટીલ ના એક નિવેદનથી રાજકીય અટકળો તેજ

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષના હોદ્દાને લઈ સી.આર. પાટીલ ના એક નિવેદનથી રાજકીય અટકળો તેજ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ ઉત્તર ભારતી સમાજના સંમેલનમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલના એક નિવેદનથી રાજકારણમાં ચર્ચાઓનો નવો દોર શરૂ થયો છે.

સુરતમાં મનપાના પદાધિકારીઓના સન્માન કાર્યક્રમમાં  ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જાહેર  નિવેદન કરતાં કહ્યું હતું કે, "હું અધ્યક્ષ રહું કે ન રહું 182 સીટ જીતવાની છે. "

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં સમસ્ત ઉત્તરભારતી સમાજ દ્વારા મનપાના નવનિયુક્ત પદ અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 માંથી 26 સીટો જીતવાની સાથે ભારતમાં 400 સીટ જીતશે તેઓ દાવો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કર્યો છે.