ઊંઝા : APMC ચેરમેન દિનેશ પટેલની મોટી જીત : સમગ્ર પંથકમાં થઈ રહી છે પ્રસંશા

ઊંઝા : APMC ચેરમેન દિનેશ પટેલની મોટી જીત : સમગ્ર પંથકમાં થઈ રહી છે પ્રસંશા

APMC ચેરમેન દિનેશભાઈ પટેલે વીમા કંપની સામે લડત લડી અપાવ્યો ન્યાય

અકસ્માત વીમા યોજના હેઠળ અપાવી સહાય

2.47 લાખની અપાવી સહાય

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા અસ્માત વિમા યોજના અંતર્ગત ઊંઝાના પરિવારને સહાય આપવા માટે ઠાગાઠેયા કરતી વિમા કંપની સામે લડત ચલાવી વ્યાજ સાથે રૂ ૨,૪૭,૩૪૨ ની સહાય મંજુર કરાવી છે.

મળતી વિગતો અનુસાર ઊંઝા શહેરમાં રહેતા સ્વ. રઘુરામભાઇ ત્રિવેદીનું વર્ષ ૨૦૧૬માં આસ્મિક અવસાન થતાં જેમના પરીવારજનોને આર્થિક સહાય રૂપે ઊંઝા એપીએમસી દ્વારા અસ્માત વિમા યોજના અંતર્ગત સહાય આપવામા આવે છે. જૉકે આ જરૂરિયાતમંદ પરિવારને ન્યાય મળે તે માટે સહાયને લઈ ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા પરિવારને ન્યાય માટે વીમા કંપની સામે લડત આપી વ્યાજ સહિત રૂ ૨,૪૭, ૩૪૨ની સહાય મંજુર કરાવી જરૂરિયાતમંદ પરિવારને મદદરૂપ થઈ વધુ એક સેવાકીય કાર્ય કરેલ છે.